🌿 જેવી રીતે પીઠ પરની થેલી (બેકપેક) ખૂબ ભારે બની જાય છે તેવી જ રીતે આપણે તે માનસિક 'બેકપેક' વિશે વાત કરી, જેમાં આપણે ચિંતાઓ, અફસોસ, અધૂરી રહી ગયેલી વાતચીત, અપેક્ષાઓ વિગેરેને સાથે લઈને ચાલીએ છીએ. જેનાથી મને વિચાર આવ્યો... જો આ થેલી જીવનને ભારે બનાવી રહી હોય...તો આપણે તેને ખાલી કેમ નથી કરી નાખતા? કદાચ એટલા માટે કે લાંબા સમય સુધી તેને વહન કર્યા પછી... તેનું વધારે વજન પણ સામાન્ય લાગવા માંડે છે. આપણને તેનું ભાન થતું બંધ થઈ જાય છે. આપણે માની લઈએ છીએ કે જીવનનો અર્થ જ આટલું ભારેપણું અનુભવવું છે. પણ એ સાચું નથી. કદાચ આપણે એ ભૂલી ગયા છીએ કે હળવાશથી મુસાફરી કરવી કેવી લાગે છે. યાદ રાખવા જેવી મહત્વની વાત આ છે: જીવન આપણી થેલીમાં જે મૂકે છે તે પસંદ કરવાની તક હંમેશા આપણને મળતી નથી. જેમ કે….. નુકસાન, નિરાશા, અનિશ્ચિતતા, અણધાર્યા ફેરફારો વગેરેને જીવન આપણા બધાની થેલીઓમાં લાવીને મૂકે છે. પરંતુ તમે શું સાથે રાખવાનું ચાલુ રાખશો તે તમે પસંદ કરી શકો છો. ભુતકાળની દલીલ કે ઝઘડાનું વારંવાર મનમાં પુનરાવર્તન, અપરાધભાવ, રોષ કે કડવાશ વગેરે જે બન્યા જ નથી તેના વિશેની ચિંતા. આ એવી પસંદગીઓ છે જે આપણે ઘણીવાર જાણ્યે-અજાણ્યે કરી લઈએ છીએ. 🎯 આજે: થોભો અને તમને પોતાને પૂછો: "એવી કઈ વસ્તુ છે જે મારા કામની ન હોવા છતાં હું લાંબા સમયથી સાથે લઈને ચાલી રહ્યો/રહી છું?" પછી કલ્પના કરો કે તમે તમારી થેલીમાંથી માત્ર એક વસ્તુ બહાર કાઢી રહ્યા છો. તમારે આજે જ તેને સંપૂર્ણપણે ખાલી કરવાની જરૂર નથી. બસ, તેને થોડી હળવી કરો. 🌿 જીવન સમયાંતરે તેમાં વજન ઉમેરતું રહેશે. ખરા અર્થમાં 'વર્તમાનમાં જીવવાની' શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણે જરૂરિયાત કરતાં વધુ ભાર વહન કરવાનું બંધ કરીએ છીએ. ⚡